31 ડિસેમ્બર પછી આવા ફોન પર થઈ જશે વોટ્સએપ બંધ, જાણી લો

વોટ્સએપ દિવસેને દિવસે પોતાની ટેકનોલોજી વિકસાવી રહ્યું છે સાથે સાથે વપરાશકર્તાને વાપરવા સહેલુ પડે તેવા ફીચર પણ લાવી રહ્યું છે. જેમકે હમણાં જ વોટ્સએપ ફોરવર્ડ ટેગ નું ફીચર બહાર પાડ્યું છે. જેમાંથી કોઈપણ માણસ આસાનીથી સમજી શકે કે આ મેસેજ ફોરવર્ડ કરાયેલો છે, જો કે આ નિર્ણય ભારત સરકાર દ્વારા આપેલી ચેતવણી પછી લેવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે આવનારા દિવસોમાં વોટ્સએપ આના સિવાય પણ ઘણી ઓપરેટિંગ સિસ્ટમ માટે પોતાનો સપોર્ટ બંધ કરી દેશે, એટલે કે જો તમારી પાસે આવા જુના ફોન હોય તો તમારે તે બદલવાના જ રહેશે. કારણ કે બની શકે કે આવતા વર્ષોમાં આ ફોન પર વોટ્સએપ સરખી રીતે ન ચાલી શકે.

જોકે આને હજી એક વર્ષની વાર છે, પરંતુ 2020 ની શરૂઆત માં એન્ડ્રોઇડ 2.3.7 અને એનાથી નીચેના વર્ઝનમાં કામ કરવાનું બંધ કરી શકે છે. સાથે સાથે આઈફોન દ્વારા વિકસાવવામાં આવેલી આઇઓએસ નું વર્ઝન 7 થી નીચેના માં પણ વોટ્સએપ ત્યારથી કામ કરવાનું બંધ કરી શકે.

પરંતુ જો તમે ઉપરોક્ત જણાવેલ સિસ્ટમ નથી વાપરી રહ્યા તો તમારે આ બાબતમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, અને તમે ખુશીથી પોતાનું વોટ્સએપ વાપરી શકો છો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts