દીકરીના પિતાએ ઘરે આવીને બા ના ફોટા પરથી હાર ઉતારી લીધો, પત્નીએ કારણ પૂછ્યું તો આંખમાં આંસુ સાથે કહ્યું…

ત્યારે દીકરીના સાસુ એ પણ આ વાત સાંભળી લીધી તેની પણ આ વાતમાં ધ્યાન હોવાથી તેને તરત જ જવાબ આપતા કહ્યું કે ગઈકાલે સાંજે જ તમારી દીકરીનો મારા પર ફોન આવી ગયો હતો. તેને મને ફોનમાં કહ્યું કે મારા પપ્પા એમના સ્વભાવ પ્રમાણે કંઈ બોલશે નહીં પણ એની તબિયત ને ધ્યાને લેતા કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે આથી હું તમને આ વાત કરું છું તમે મારા પપ્પાને સાચવજો.

આટલું સાંભળીને દીકરીના પિતા ની આંખ માંથી અશ્રુધારા વહેવા લાગી, કોઈ પણ કાળે તેઓ આ અશ્રુધારા ને રોકી શક્યા નહીં.

વેવાઈ ના ઘરે થી વિદાય લઈને તેઓ જ્યારે પોતાના ઘરે પાછા ફર્યા ત્યારે તરત જ ઘરે આવીને હોલમાં જ રાખેલી સ્વર્ગવાસી માતા ની તસ્વીર હતી જેમાંથી તેને હાર કાઢીને નીચે ઉતારીને મૂકી દીધો, આવું વર્તન ઓચિંતાનું કર્યું હોવાથી તરત જ એના પત્ની આવીને પૂછ્યું કે કેમ તમે બા ના ફોટા ઉપરથી હાર નીચે ઉતારી લીધો?

હજુ પણ અશ્રુધારા રોકવા નુ નામ નથી લેતી, તેમ છતાં આંખમાં આંસુ સાથે તેની પત્નીને જવાબ આપતા તેને કહ્યું કે મને તો આજે ખબર પડી કે મારું ધ્યાન રાખનારી મારી માતા ક્યાંય ગઈ જ નથી. એ હવે આ જ ઘરમાં દીકરી ના સ્વરૂપે રહે છે.

પછી તેની પત્નીને પણ બધી વાત કરી ત્યારે તેની પત્નીને બધી ખબર પડી.

એટલે જ કદાચ કહેવાતું હોય છે કે જેના ઘરમાં દીકરી હોય છે એને બે માતાનો પ્રેમ મળે છે કારણ કે એક તો દરેકને જન્મદાત્રી મા હોય છે અને બીજી દીકરી માં રહીને બાપ ને જીવની જેમ સાચવતી હોય એવી માતા.

જો તમને આ લેખ પસંદ પડ્યો હોય તો દરેક લોકો સુધી શેર કરજો અને કમેન્ટમાં આ લેખને 1 થી 5 ની વચ્ચે રેટિંગ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts