શાંતીનું તોફાન – પરિણીત હોય તો અચૂક વાંચજો

અશોક એકદમ જ રડી પડ્યો. “તે મારી માતાની સંભાળ રાખી શકતી ન હતી. ગર્વથી ભરેલી આભા ને મારી માતામાં સમસ્યા જ દેખાતી હતી.. તમારી માતા આવી છે તમારી માતા તેવી છે તેમ કરી કરીને એ સમય આવી ગયો કે જ્યારે મારે મારી માતાને બીજે મૂકવા જવા પડ્યા. એ અજાણ્યા લોકો મારી માતાની કઈ રીતે સંભાળ લઈ શકે? એટલે જ મેં છુટાછેડા લેવાનું નક્કી કર્યું.

છૂટાછેડા લીધા પછી, ઓછામાં ઓછું હું મારી માતા સાથે શાંતિથી જીવી શકીશ. મારો જન્મ થયા પછી નાની ઉંમરમાં જ પપ્પા દુનિયામાંથી અમને છોડીને જતા રહ્યા હતા. હું પણ પિતા વગર મોટો થયો છું અને હવે છૂટાછેડા પછી બાળકો પણ પિતા વગર મોટા થશે.”

રાહુલની આંખમાં આંસુ હતા. તે સમજી ગયો કે આંટી ને વૃદ્ધાશ્રમ મુકવા જવાનું સાચું કારણ શું છે. આભાની આંખો શરમથી નીચી થઈ ગઈ. તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. તે અશોક પાસે ગઈ અને ક્ષમા માટે વિનંતી કરવા લાગી. તેને વચન આપ્યું હતું કે તે અશોકની માતાનું સંપૂર્ણ ધ્યાન રાખશે.

પરંતુ અશોક તેની પત્નીની એક વાત સાંભળવા તૈયાર નહોતો, ત્યારે તેના મિત્ર રાહુલે તેને કહ્યું કે હશે અશોક જવા દે, બધાને બીજો મોકો મળવો જોઈએ. અને ભાભીને તો તેની ભૂલનો અહેસાસ પણ થઈ ગયો છે. ઘણું બધું સમજાવ્યા પછી આખરે અશોક તૈયાર થઈ ગયો. તેને આભાને માફ કરી દીધી.

બીજા દિવસે આભા રાહુલ સાથે વૃદ્ધાશ્રમ પહોંચી. તેની આંખોમાં અફસોસ સ્પષ્ટ દેખાતો હતો. તે અશોકની માતાને પાછો લઈ આવ્યો. ઘરે પરત ફર્યા પછી માતાના ચહેરા પરની ખુશી જોઈને આભાને લાગ્યું કે જાણે તેનો બોજ હળવો થઈ ગયો છે. તેમણે રાહુલનો આભાર માન્યો, જેણે માત્ર તેના ઘરની આ સંબંધરૂપી દીવાલને ખૂબ જ મજબૂત બનાવી દીધી હતી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts