|

આવતીકાલે સૂર્યનું વૃશ્ચિક રાશિમાં થઈ રહ્યું છે પરિભ્રમણ, આ 3 રાશિના લોકો થઈ જશે માલામાલ

તુલા રાશિ માટે સૂર્ય દ્વિતીય સ્થાનમાં હશે. તુલા રાશિમાં સૂર્ય લગ્નેશ શુક્ર નો શત્રુ હોવાથી પાપ ફળદાયી હશે. પરંતુ પોતાની મિત્ર રાશિ વૃશ્ચિકમાં હોવાને કારણે આ ધન સંગ્રહણ માં સહાયક રહેશે. આર્થિક લાભ માટે શિવોક્ત સૂર્યાષ્ટકમ કરવું.

વૃશ્ચિક રાશિના લોકો માટે આ સ્થળાંતર સમસ્યા ઉભી કરી શકે છે. સાથે-સાથે દૂરની યાત્રાનો યોગ બની રહ્યો છે. વિદેશ પણ જવાનો મોકો મળી શકે છે. સાથે આર્થિક વ્યય ન થાય તેનું ધ્યાન રાખવું. સ્વાસ્થ્ય માટે સમસ્યા ઉભી થઈ શકે આથી કાળજી રાખવી.

મિથુન રાશિમાં આ સ્થળાંતર થવાથી કામનો બોજ રહેશે પરંતુ સાથે સાથે આ સ્થળાંતર ફળદાયી રહેશે. વડીલો પાસેથી લાભ મળશે. અને સ્વાસ્થ્યની બાબતમાં કાળજી રાખવી. મહેનત કર્યા બાદ સફળતાઓને પામી શકશો.

ધન રાશિના લોકો માટે આ સ્થળાંતર એને લીધે થોડો મિત્રો સાથે મતભેદ થઈ શકે. નામ ખરાબ થાય તેવું કાર્ય ન કરવું. માનસિક શાંતિ માટે પાણીમાં લાલ ફૂલ અને સિંદૂર નાખીને સૂર્યદેવતાને અર્પણ કરવું. પોતાનું કાર્ય ધીરજ અને સંયમ રાખીને કરવું.

મકર રાશિમાં આ સ્થળાંતર જીવનમાં સંઘર્ષ વધારી શકે અને કાર્ય પૂરા કરવા માટે તમારે અધિક મહેનત કરવી પડે. સ્વાસ્થ્યની કાળજી રાખવી. કાર્યક્ષેત્રમાં બદલાવ અને ટ્રાન્સફર થઇ શકે. પારિવારિક જીવનમાં વિવાદ નો થાય તેનું ધ્યાન રાખવું.

મીન રાશિના લોકો માટે આ સ્થળાંતર તમારી પરીક્ષા લઈ શકે. પરંતુ સાથે મહેનત કરવાથી સફળતા પ્રાપ્ત થશે, અને માનસિક શાંતિ મળશે. યાત્રાઓ થઈ શકે. અને ધાર્મિક તેમજ રીતિરિવાજો ના કાર્યમાં તમારું મન લાગ્યું રહેશે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts