વૃદ્ધાશ્રમમાં મૂકી ને ત્યાંના સંચાલક ને પૂછ્યું કે તમે પિતા ને ઓળખો છો? સંચાલક નો જવાબ સાંભળીને દીકરાના આંખમાંથી…

એટલે આ બધી વસ્તુ જોઈને તે થોડું આશ્ચર્ય પામી ગયો, હજુ પિતાને કંઈ પૂછવા માટે ત્યાં જાય ત્યાં તેના પિતાકોઈ કારણોસર તેના રૂમમાં ચાલ્યા ગયા.

એટલે તેને વૃદ્ધાશ્રમના સંચાલકને સવાલ પૂછવાનો મોકો મળી ગયો તરત જ તેને વૃદ્ધાશ્રમના સંચાલક પાસે જઈને પૂછ્યું કે શું તમે આ બાપાને પહેલા ક્યારેય મળેલા છો? તમે ઓળખો છો? એટલે વૃદ્ધાશ્રમના સંચાલકે માથું ધુણાવીને હા પાડી. હજુ તો વૃદ્ધાશ્રમ ના સંચાલક કંઈ બોલવા જાય તે પહેલા દીકરો બોલ્યો કે કઈ રીતે તમે એને ઓળખો છો?

એટલે સંચાલકે જવાબમાં કહ્યું કે હું આ સજ્જનને લગભગ છેલ્લા ૨૫ થી પણ વધુ વર્ષથી ઓળખું છું. આજથી લગભગ ૨૮ વર્ષ પહેલા તેઓ અહીં રહેલા અનાથાશ્રમમાં એક અનાથ છોકરાને દત્તક લેવા માટે આવ્યા હતા ત્યારથી હું તેના પરિચયમાં છું. અને અમારા સંબંધો ઘણા ગાઢ બની ચૂક્યા છે.

વૃદ્ધાશ્રમના સંચાલકનો આ જવાબ સાંભળીને દીકરાના હાથમાંથી ગાડીની ચાવી અને બીજા હાથ માં થી મોબાઈલ પડી ગયા. તે તરત જ ચોધાર આંસુએ રડવા લાગ્યો. તેના માતા-પિતા સાથે કરેલા વર્ષો જૂના વ્યવહાર તેને આજે એક સાથે બધા સામે દેખાવા લાગ્યા. પરંતુ હવે અફસોસ કરીને કંઈ જ થવાનું હતું નહીં.

એક જગ્યાએ ખુબ જ સરસ વાક્ય લખેલું હતું તે આ સ્ટોરી ને તદ્દન અનુરૂપ આવે તેવું છે જેમાં લખ્યું હતું કે જે દિવસે વૃદ્ધાશ્રમ બંધ થઈ જશે તે દિવસથી મધર્સ ડે અને ફાધર્સ ડે ઉજવવાની કોઈ જરૂર નથી.

આ લેખ તમને પસંદ પડ્યો હોય તો શેર કરીને અમારો ઉત્સાહ વધારજો.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts