વાંચતા બે મિનીટ થશે પણ વાંચવાનું ચુકતા નહીં…

હકીકતમાં તો કોઈ પણ જીવન યોજના બનાવવાની કોશિશ નહીં કરવાથી આપણે ખરેખર તો જીવનમાં નિષ્ફળ થવાની યોજના બનાવી રહ્યા હોઈએ છીએ અને આપણને ખબર પણ હોતી નથી, જ્યારે જીવનમાં સ્પષ્ટ ધ્યેય હોય તો જીવન ને સફળ બનાવી શકાય છે.

દરિયામાં અંદર સબમરીનમાંથી જે Torpedo મિસાઈલ લોન્ચ કરવામાં આવે છે તેમાં આ મિસાઈલ કોમ્પ્યુટર સંચાલિત હોય છે અને તે પોતાની ભૂલો સુધારીને લક્ષ્ય તરફ આગળ વધતી રહે છે જેથી લક્ષ્ય સુધી પહોંચવાના પ્રયાસમાં સફળ થાય છે.

માનવનું મન પણ આ Torpedo ની જેમ જ કામ કરે છે, એક વખત તમે જીવનનું ધ્યેય નક્કી કરી લો પછી તમારું મન સતત પણે તમારી વાત અને જીવનને કેટલા અંશે એ માટે મદદરૂપ થાય છે તે નિહાળતું રહે છે. ઉપરાંત આજુબાજુના વાતાવરણ દ્વારા પોઝિટિવ પ્રેરણા મેળવીને તમારું મન તમારા ધ્યેયને પામવા માટે જરૂરી સુમેળ સાધે છે.

કોઈપણ ના જીવનમાં જો અસ્ત-વ્યસ્ત વિચારો હોય, અથવા તેને સિદ્ધ કરવાનું ગજું ન હોય, કે પછી રિયાલિસ્ટિક ધ્યેય, વિચાર ન હોય તો આપણા જીવનને દિશાહીન થતાં વાર લાગતી નથી. અને થોડાક જ સમયમાં માણસ પોતાની જાતને જ ખલાસ કરી નાખે છે.

આથી ઘણી વખત આપણે જરૂર હોય છે માત્ર હોકાયંત્રની સોય જેવા લોહચુંબકની! જો આ લેખ પસંદ પડ્યો હોય તો શેર કરજો અને આવા જ લેખ વાંચતા રહેવા માટે આપણું પેજ અચૂક લાઈક કરજો જેથી તમને દરરોજ આવા લેખ મળતા રહે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts