PM મોદીનું પાકિસ્તાનને અલ્ટિમેટમ: બહુ સહન કર્યું, હવે ઘરમાં ઘૂસીને મારીશું

પાકિસ્તાનને સખત ભાષામાં આડે હાથ લેતા કહ્યું હતું કે આતંકવાદીઓ ચાહે સાત પાતાળ નીચે જઈને છુપાઈ જાય, પણ અમે એને છોડીશું નહિ. અમે સાત પાતાળથી પણ નીકાળીને તેને મારીશુ.

આ સભામાં તેઓ ખુબ જ આક્રમક પ્રહારો કરતા નજરે આવ્યા હતા. અને તેના અંદાજથી પણ ચોખ્ખું દેખાઈ રહ્યું હતું કે હવે આતંકવાદીઓની ખેર નથી, પછી ચાહે તે ગમે ત્યાં છુપાઈને રહે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુ સેના એ કરેલી એર સ્ટ્રાઈક ને પ્રેસ કોન્ફરન્સમાં વાયુ સેનાના વડાએ કહ્યું હતું કે આતંકવાદીઓ વિરુદ્ધ આ એક માત્ર શરૂઆત છે, હાજી આતંકવાદી વિરોધી ઓપરેશન પૂરું થયું નથી. હજુ પણ ચાલુ જ છે.

આ સિવાય પણ તેને સભામાં કહ્યું હતું કે જો વાયુસેનાનું આ મિશન ફેલ થઇ જાત તો રાજીનામુ કોનું માંગવામાં આવે? તેને કહ્યું હતું કે અમે જે પ્રોજેકટનો શિલાન્યાસ કરીએ, તેનું ઉદ્ઘાટન પણ અમે જ કરીએ છીએ. આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરી રહ્યા છીએ, તો ઉદઘાટન પર પણ અમે જ હાજર રહીશું. તેઓએ કીધું કે, “ અમારી સરકાર ની વિશેષતા એ છે કે એક કામ ખતમ થાય અને બીજું કામ શરૂ થઈ જાય છે. એક કામ ખતમ થયા પછી અમે સુતા હોતા નથી અને બીજા કામ ની તૈયારી કરીએ છીએ.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts