| |

મહાશિવરાત્રિ શું કામ મનાવવામાં આવે છે? જાણો કારણ

જણાવી દઈએ કે અમુક માન્યતાઓ અનુસાર માનવામાં આવે છે કે મહાશિવરાત્રીના દિવસે શંકર ભગવાન પાતાળ માંથી પ્રગટ થાય છે, એટલા માટે પણ મહાશિવરાત્રી ને મનાવવામાં આવે છે.

એવી જ એક કથા અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીના લગ્ન થયા હતા. અને એટલા જ માટે નેપાલમાં આજે પણ મહાશિવરાત્રીના ત્રણ દિવસ પહેલાં જ મંદિરોને સજાવવામાં આવે છે. અને માં પાર્વતી અને શિવજી ને દુલ્હા-દુલ્હન બનાવીને ઘરે ઘરે ફેરવાય છે. તેમજ મહાશિવરાત્રીના દિવસે તેના લગ્ન કરાવાય છે. અને એવું પણ માનવામાં આવે છે કે કુંવારી કન્યાઓ દ્વારા મહાશિવરાત્રીનું વ્રત રાખવાથી લગ્નનો સંયોગ જલ્દી બને છે.

એક પ્રચલિત કથા એવી પણ છે જેના અનુસાર ભગવાન શિવ દ્વારા ઝેર પીને આખી દુનિયાને બચાવવાની ઘટના ના ઉપલક્ષ તરીકે મહાશિવરાત્રી મનાવવામાં આવે છે. હકીકતમાં સાગર મંથન દરમ્યાન જ્યારે અમૃત માટે દેવતાઓ અને રાક્ષસો વચ્ચે યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે અમૃત પહેલા સાગરમાંથી ઝેર નીકળ્યું હતું જે ઝેર નું નામ કાલકૂટ હતું. આ ઝેર એટલું ખતરનાક હતું કે આનાથી આખા બ્રહ્માંડનો નષ્ટ કરી શકાય પ્રેમ હતો. પણ આને માત્ર ભગવાન શિવ જ નષ્ટ કરી શકે તેમ હતા. ત્યારે ભગવાન શિવે કાલકૂટ નામનું ઝેર પોતાના કંઠમાં રાખી લીધું હતું. અને આના કારણે તેનું ગળું એટલે કે કંઠ નીલા કલરનું થઈ ગયું હતું. અને આ પછી જ તેઓનું નામ નીલકંઠ પાડવામાં આવ્યું હતું.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts