|

રેલ્વે ના પાટા પર પથરાઓ કેમ મુકવામાં આવે છે? જાણીને દંગ રહી જશો

કોંક્રિટના જે પથ્થર છે તેને અમુક અંતરે એટલા માટે રાખવામાં આવે છે કે તેની ઉપર જ્યારે પાટા લગાવવામાં આવે ત્યારે બન્ને પાટા વચ્ચે નું અંતર એક સરખુ રહે. અને આ કોંક્રિટના પથ્થર જગ્યા પરથી લોડ આવવાને કારણે ખસી ન જાય એટલા માટે કપચી તેની નીચે રાખવામાં આવે છે.

એટલે કે સામાન્ય ભાષામાં કહીએ તો કપચી જેવા પથ્થરો હકીકતમાં ટ્રેનને સલામત રાખે છે એટલે કે તેની ઉપર રહેલા કોંક્રિટના પથ્થરને એક જગ્યાએથી બીજી જગ્યાએ હલવા દેતા નથી અને માટે ટ્રેન અને તેના પાટા બંને એક જગ્યા પર રહે છે.

અને ટ્રેનના વજન વિશે વાત કરીએ તો તે લાખોમાં હોય છે. આથી જ્યારે ટ્રેન પસાર થાય ત્યારે જો પાટા એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહે કે કોંક્રિટના પથ્થર ખસી જાય તો મોટી દુર્ઘટના ઘટી શકે છે, માટે જ આ યોજના કરવામાં આવેલી હોય છે જેથી પથ્થરના કારણે વધુ એક જગ્યા પર રહે.

અને જ્યારે ટ્રેન ચાલે ત્યારે સૌથી વધારે લોડ નીચે રહેલા પથ્થરો પર આવતો હોય છે. એટલે કે માત્ર લોખંડ ના પાટા રાખ્યા હોય તો તે આટલો મોટો વજન આવે તો તેનાથી ખસી પણ શકે પરંતુ પથ્થરની વધારે માત્રા હોય અને તે એકબીજા સાથે મજબૂત પકડ રાખીને રહેલા હોય એટલે તે હલવાનો ચાન્સ રહેતો નથી.

અને આમાં અસાધારણ આકારના પથ્થર ને એટલા માટે પસંદ કરવામાં આવે છે કે જે પથ્થરોમાં ખાચા હોય અને તે એકબીજા સાથે બંધાઈને રહી શકે એટલા માટે આવા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે. જો દરેક પથ્થરનો એક સરખો હોય તો આ પથ્થરો ગમે ત્યારે જગ્યા પરથી ખસી શકે છે. આથી જ પથ્થરો તરીકે આવા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે જણાવી દઈએ કે આ જ જોગવાઈ બુલેટ ટ્રેન માં કરવામાં આવતી નથી કારણકે તેને અસાધારણ સપાટી પર સામાન્ય રીતે ચલાવવામાં આવતી હોતી નથી, અને આવી ટ્રેનો નું વજન પણ પ્રમાણમાં હળવું હોય છે.

આ માહિતીને બને તેટલી શેર કરજો જેથી બધાને આવી અજાણી માહિતી વિશે જાણકારી મળે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts