સાસરે એ પહેલી સવાર આજે પણ યાદ છે – કોઈ દીકરીએ જ લખેલું હશે, વાંચજો જરૂર

પિયરમાં કરેલી એ ધમાલ મસ્તીઓ, ખુલ્લા હૃદયથી હસવાનું, હેઠા મોઢે રસોડામાં કંઈપણ ખાઈ લેવું, મન પડે ત્યારે જાગવું, સુઈ જવું, નહાવું, હવે બસ આ બધી યાદો જ રહી છે.

હવે મને સમજાવવા લાગ્યું હતું કે વિદાય સમયે લોકો મને ગળે લગાવીને રડી શું કામ રહ્યા હતા. હકીકતમાં મારાથી દુર થવાનો એહસાસ તો તે લોકોને થઈ રહ્યો હતો, પરંતુ એક વાત બીજી પણ હતી જે અંદરોઅંદર પરેશાન કરી રહી હતી, કે જે સત્ય નથી તેઓએ મને આટલા વર્ષો દુર રાખી, તે અંતે મારી સામે આવી જ ગયું.

પિતાનું એ જુઠ્ઠાણું કે હું તેની દીકરી નહીં પરંતુ દીકરો છું, હવે છાનું નહીં રહે. તેની સૌથી મોટી ચિંતા એ હતી કે, તેનો એ દીકરો જેને ક્યારેય દિકરી હોવાનો અહેસાસ નથી કરાવ્યો, તે જીવનના આટલા મોટા સત્યનો કઈ રીતે સ્વીકાર કરશે

માને ચિંતા હતી કે તેની દીકરીએ ક્યારેય એક ગ્લાસ પાણી નથી ઉઠાવ્યો, તે આટલા મોટા પરિવારની જવાબદારી કેવી રીતે ઉઠાવશે?

બધા લોકો આ વિદાય અને મારા પારકા હોવાનો મર્મ જાણતા હતા, સિવાય હું પોતે. એટલે જ બધા કદાચ ખૂબ જ ભાવુક થઈને રડી રહ્યા હતા.

આજે મને સમજાઈ ગયું કે તેઓનું રડવાનું સાચું હતું. આપણા સમાજનો નિયમ એ જ છે કે એક વખત દીકરી ઘરમાંથી વિદાય લે પછી તે માત્ર મહેમાન જ હોય છે.

પછી કોઈ પણ કેટલું પણ કહી દે કે આ ઘર આજે પણ તેનું જ છે પરંતુ સત્ય તો એ છે કે હવે તે ક્યારેય પણ, એમ જ તેના ઘરે જેને પીયર કહે છે તે આવી નથી શકતી.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts