બુધનું થઈ રહ્યું છે રાશિ પરિવર્તન, 2 મહિનામાં આ રાશિઓનું બદલશે ભાગ્ય

તુલા રાશિમાં આ રાશિ પરિવર્તનને કારણે પરિણામ હિતમાં મળી શકે છે. આવા લોકો માટે સારું ફળ મળશે, બીમારીઓનો નાશ થશે. ઋણમાંથી મુક્તિ મળી શકે.

વૃશ્ચિક રાશિમાં આ રાશિ પરિવર્તનને કારણે ગેરલાભ થઈ શકે છે. બુધ લગ્નેશ મંગળથી શત્રુભાવ રાખે છે, આથી તે અહીં અશુભ ફળ આપશે. ઉપાય માટે આવા લોકો ભગવાન ગણપતિની ઉપાસના કરે તો શાંતિ મળી શકે છે.

ધન રાશિમાં આ પરિવર્તનને લીધે અશુભ ફળ મળી શકે. નોકરી અને વ્યાપારમાં પરેશાની ઉદ્ભવી શકે, પરિણીત લોકોને પત્ની સાથે વૈચારિક મતભેદ બની શકે. તેઓએ બુધ કવચનો નિત્ય પાઠ કરવો જોઈએ.

મકર રાશિમાં આ પરિવર્તન લાભદાયી નીવડશે. આવા લોકોને વ્યાપાર માં લાભ મળી શકે, મહાલક્ષ્મીની સ્તુતિ નો પાઠ કરવો જેથી લાભ મળે.

કુંભ રાશિના લોકો માટે પણ આ રાશિનું પરિવર્તન તે લાભદાયી નીવડી શકે કારણકે બુધ લગ્નેશ શનિ મિત્ર હોવાને કારણે યોગકારક છે. આવા લોકો માટે કોઈપણ નવું કામ કરવું હોય તો બુધવારના દિવસે કરવું જેથી સફળતા મળે.

મીન રાશિમાં આ રાશિના પરિવર્તનને કારણે અશુભ પણ હોય શકે છે, સાથે લોકો તેમજ મિત્રો તરફથી લાભ પણ મળી શકે. આવા લોકો માટે બુધ ની વસ્તુઓનું દાન કરવું વધુ લાભદાયી રહેશે.

મેષ રાશિવાળા લોકોને આ સમયગાળા દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે કારણ કે મેષ રાશિમાં બુધ સપ્ત્મ માંથી અષ્ટમ ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે, જે કીર્તી ભંગ નો યોગ બનાવે છે. આથી આવા જાતકો માટે મિત્રો થી સાવધાન રહેવું જોઈએ, કારણકે મિત્રો દગો આપી શકે છે. અને આવા રાશિના લોકોને સ્ત્રી જાતિ થી લાભ મળશે. આના ઉપાય માટે ભગવાન ગણેશની નિત્ય પૂજા કરવી જોઈએ જેનાથી લાભ થાય છે.

વધુ વાંચવા નીચે Next પર ક્લિક કરો...

Similar Posts